નેપાળમાં ગયા શનિવારે આવેલ ભીષણ ભૂકંપથી ફક્ત બરબાદી જ નથી થયુ પણ નેપાળમાં ભૌગોલિક ફેરફાર પણ આવ્યો છે. વૈજ્ઞાનિકો મુજબ કાઠમાંડૂ 30 સેકંડમાં પોતાની ધૂરી પરથી 10 ફુટ દક્ષિણ તરફ ખસકી ગયુ છે. આ સાથે જ પૃથ્વીના એક મોટા ભૂ-ભાગમાં પણ ફેરફાર નોંધાવ્યો છે. વાડિયા ભૂ વિજ્ઞાન સંસ્થાના વૈજ્ઞાનિકોના નાસાના હવાલાથી આ માહિતી આપી છે.
ભૂકંપના કંપનમાં 1689 પરમાણુ બોમ્બના વિસ્ફોટ જેટલી ઉર્જા
વૈજ્ઞાનિકો મુજબ નેપાળમાં રિક્ટર સ્કેલ પર 7.9 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ કારણે ઈંડિયન પ્લેટના યૂરેશિયન પ્લેટની નીચે સરકતા ઘર્ષણને કારણે પૃથ્વી 7200 વર્ગ કિલોમીટર ભૂભાગ પોતાના સ્થાન પરથી ત્રણ મીટર ઉપર ઉઠી ગયો.
ભૂકંપથી ધરાશાયી નેપાળની અર્થવ્યવસ્થા
આ ખેંચાવને કારણે એક જ ઝટકામાં 79 લાખ ટન ઑફ ટીએનટી ઉર્જા નીકળી. જેનાથી પૃથ્વીની ધુરી પણ પણ અસર પડી. આ ઉર્જાનો અંદાજ તમે આ વાતથી લગાવી શકે છે કે આ હિરોશિમામાં થયેલ એટમી ધમાકામાંથી નીકળેલી ઉર્જાથી 504.4 ગણી વધુ હતી.