. પીએમ બન્યા પછી પોતાના પ્રથમ ઈંટરવ્યુમાં નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે ભારતના મુસલમાનોની દેશભક્તિ પર સવાલ નથી ઉઠાવી શકાતો. સીએનએનને આપેલ આ ઈંટરવ્યુમાં તેમણે કહ્યુ કે, "ભારતનો મુસલમાન દેશ માટે પોતાની જીવ પણ આપી શકે છે. અલ કાયદાને આનો ભ્રમ છે કે ભારતીય મુસલમાનો તેમની વાતોમાં આવીને બહેકી જશે.'
જો કે ભારતીય પ્રધાનમાંત્રીએ આ વાત સ્વીકાર કરી કે વીતેલા સમયમાં બંને દેશોના સંબંધોમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા છે. સાથે જ તેમણે વિશ્વાસ બતાવ્યો કે બંને દેશના સંબંધોએ ઈકવીસમી સદીમાં એક નવો આકાર લીધો છે. તેમણે કહ્યુ, "મને વિશ્વાસ છે કે ભારત અને અમેરિકા વાસ્તવિક સામરિક ભાગીદારી વિકસિત કરી શકે છે."