દિલ્હીમાં ત્રણ વર્ષ પહેલા બસમાં થયેલ ગેંગરેપના આરોપીને ભારે વિરોધ પ્રદર્શન છતા રવિવારે સાંજે છોડી દેવામાં આવ્યો. સગીરની સુરક્ષાને ધ્યાનમા રાખતા તેની દેખરેખ માટે દિલ્હીના એક એનજીઓને તેને સોંપવામાં આવ્યો છે. સગીર રેપિસ્ટની મુક્તિના વિરોધમાં નિર્ભયાના માતા-પિતા સહિત અનેક લોકોએ રાજપથ અને ઈંડિયાગેટ પર પ્રદર્શન કર્યુ. પછી પોલીસે નિર્ભયાના પરિવારના લોકો સહિત અનેક બીજા લોકોને ડીટીસી બસોમાં ભરીને લઈ ગયા.
બીજી બ આજુ સગીરની મુક્તિના વિરોધમાં સાંજે નિર્ભયાના માતાપિતા અનેક બીજા લોકોએ ઈંડિયા ગેટ અને રાજપથ પર વિરોધ પ્રદર્શન કર્યુ. ઈંડિયા ગેટની આસપાસ ધારા 144 લગાવવામાં આવી હતી. છતા લોકો ત્યા એકત્ર થયા. પ્રદર્શનને ધ્યાનમાં રાખતા પોલીસે લોકોએન ત્યાથી હટાવી દીધા. નિર્ભયાના માતાપિતાને પણ બસમાં ત્યાથી લઈ જવામાં આવ્યા.