રક્ષામંત્રી મનોહર પર્રિકરે વન રૈંક વન પૈંશનનુ એલાન કરી દીધુ. પ્રેસ કોન્ફ્રેંસમાં તેમણે આનુ એલાન કર્યુ. જુલાઈ 2014થી આને લાગૂ કરવામાં આવશે. દર પાંચ વર્ષમાં તેની સમીક્ષા કરવામાં આવશે. તેમા રક્ષામંત્રીએ કહ્યુ કે સૈનિકોની વિધવાઓને એક સાથે એરિયર આપવામાં આવશે. જ્યારે કે અન્યને ચાર હપ્તામાં ચુકવણી કરવામાં આવશે. જંતર મંતર પર ઘરણા આપી રહેલ પૂર્વ સૈનિકોએ કહ્યુ કે તેઓ સંતુષ્ઠ છે.
આ દરમિયાન રક્ષામંત્રીએ બીજેપી અધ્યક્ષ અમિત શાહ સાથે તેમના ઘરે મુલાકાત કરી. સૂત્રોના મુજબ વન રૈન વન પેંશનને લઈને આરએસએસએ મોટી ભૂમિકા ભજવી છે. એવુ કહેવાય રહ્યુ છે કે આરએસએસની દખલગીરી પછી સરકાર હરકતમાં આવી છે. આરએસએસએ નાણાકીય મંત્રી અરુણ જેટલીને કહ્યુ કે તમામ પેંડિગ ફાઈલ નિપટાવવા અને નિર્ણય લેવા માટે મોકલે.