બોઘગયાના મહાબોધિ મંદિર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે. મંત્રોચ્ચારણ સાથે મોદીએ અહી પૂજા અર્ચના કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બોઘગયાના મહાબોધિ મંદિર પ્રાંગણમાં શાંતિનો ઉદ્દઘોષ કરશે. અહી તેઓ આંતરરાષ્ટ્રીય બુદ્ધિસ્ટ કૉન્ક્લેવમાં ભાગ લેશે. તેમા ભાગ લેવા માટે 70 દેશોના 222 પ્રતિનિધિ અહી પહોંચ્યા છે. મોદી બોઘ ગયા વૃક્ષની પાસે પણ પૂજન કરવા પહોંચ્યા. તેમણે ત્યા થોડીવાર આસન પર ધ્યાન પણ લગાવી લીધુ છે. અહી બૌદ્ધ ભિક્ષુ સૂત્રપાઠ કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી વૈશ્વિક સંઘર્ષને ઓછો કરવા અને પર્યાવરણ જાગૃતતા વિષય પર વિવેકાનંદ ઈંટરનેશનલ ફાઉંડેશન દિલ્હીના કાર્યક્રમમાં ભાગ લેનારા સૌથી વધુ વિદેશી મહેમાનો વચ્ચે પોતાની વાત મુકશે. બીજી બાજુ મોદીના આગમનના વિરોધમા નક્સલીઓએ આહ્વાન કરવામાં આવ્યુ છે. ગયાના દૂરદૂરના વિસ્તારોમાં બંધની અસર જોવા મળી છે. વાહન ચાલી નથી રહ્યા.