10 હજાર રૂપિયાથી વધુ માટે આપવુ પડશે ઘોષણા-પત્ર
બીજી બાજુ રિઝર્વે બેંકે સગાઈ-લગ્નવાળા પરિવારને થોડી રાહત આપતા પોતાના ખાતામાંથી 2.5 લાખ રૂપિયા કાઢવા માટે શરતોમાં થોડી છૂટ આપી. જેના હેઠળ ફક્ત 10000થે વધુ રૂપિયાની ચુકવણી માટે જ ઘોષણાપત્ર આપવુ પડશે. સાથે જ આરબીઆઈએ બેંકોને ખેડૂતોને આપવા માટે ગ્રામીણ સહકારી બેંકોને પર્યાપ્ત પૈસાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનુ કહ્યુ. તેનો હેતુ એ ચોક્કસ કરવાનો છે કે ખેડૂતોને વર્તમાન રવી પાકની ઋતુમાં બીજ, ઉર્વરક અને અન્ય કાચા માલની ખરીદી માટે પૂરતા કાયદેસર નોટ મળી રહે.