આ અગાઉ સંસદ માર્ગ સ્થિત ભારતીય સ્ટેટ બેંક(એસબીઆઈ)ની શાખામાં પહોંચેલ રાહુલે સામાન્ય લોકોની જેમ લાઈનમાં ઉભા રહીને 500 અને 1000 રૂપિયાના પોતાના જૂના નોટ બદલાવ્યા. ત્યારબાદ રાહુલ ગાંધી મુંબઈના વકોલામાં એક એટીએમ બહાર પહોંચ્યા અને લાઈનમાં લાગેલા વડીલો અને મહિલાઓની પરેશાની પૂછી. રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યુ કે તેમને એ વાત નહી સમજાય કે કેન્દ્ર સરકારના આ પગલાથી લોકોને કેટલી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.