મનસેના 10માં સ્થાપના દિવસના પ્રસંગ પર પાર્ટી સમર્થકોને સંબોધિત કરતા ઠાકરેએ કહ્યુ, "જો નવા પરમિટવાળા આવા ઓટોરિક્ષા રસ્તા પર ચાલતા દેખાય તો અંદર બેસેલા લોકોને બહાર આવવાનુ કહો અને ઓટો રિક્ષાને આગ લગાવી દો. કારણ કે રાજ્ય પરિવહન વિભાગ શિવસેના પાસે છે તો હુ પૂછવા માંગુ છુ કે સોદામાં તેમને કેટલા પૈસા મળી રહ્યા છે. ઠાકરેએ દાવો કર્યો છે કે લગભગ 70 ટકા નવા પરમિટ બિન મરાઠાને મળી રહ્યા છે અને માંગ કરી કે ફક્ત માટીના લાલને જ લાઈસેંસ આપવા જોઈએ.