પાસે 288 સીટોમાંથી 130 સીટો પર ચૂંટણી લડવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. પણ સેના જો પોતાના 119 સીટોથી વધુ સીટો નહી આપવાના પોતાના નિર્ણયથી પાછળ નહી હટે તો શક્ય છે કે 25 વર્ષ જુનુ ગઠબંધન તૂટી જશે. પ્રદેશ ભાજપાના વરિષ્ઠ નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા એકનાથ ખડસેએ તો અહી સુધી કહ્યુ કે ગઠબંધન અંતિમ શ્વાસ લઈ રહ્યુ છે. શિવસેના-ભાજપા ગઠબંધનમાં સામેલ નાના દળોમાં પણ સીટોની વહેંચણી ન થવાથી બેચેની વધી ગઈ છે. એક દળે તો ધમકી આપી છે કે તેઓ ગઠબંધનથી જુદા થઈને એકલા ચૂંટણી લડવા તૈયાર છે.