રાજધાનીમાં બીજેપીની પ્રેસ કોન્ફ્રેંસ આજે બપોરે થઈ. આ પ્રેસ કોન્ફ્રેંસ બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં થઈ. બીજેપીએ કહ્યુ કે તેઓ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને રોજ 5 સવાલ પૂછશે જેનાથી કેજરીવાલની અસલિયત લોકો સામે આવી શકે અને અમે કેજરીવાલ પાસેથી જવાબની પણ આશા રાખીએ છીએ. તેમણે કહ્યુ કે કેજરીવાલ એવા માણસ છે જેમણે સત્તાની લાલચમાં અન્ના હજારે સાથે દગો કર્યો.
બીજેપીએ કેજરીવાલને પૂછ્યા 5 સવાલ
1. બીજેપીએ કહ્યુ કે કેજરીવાએલ સત્તામાં આવવા માટે પોતાના સિદ્ધાંતોની તિલાંજલિ કેમ આપી ? તેમણે સૈદ્ધાંતિક સમજૂતી કેમ કરી ? તેમણે કોંગ્રેસનુ સમર્થન કેમ લીધુ. જ્યારે કે તેઓએ કહ્યુ હતુ કે તેઓ કોઈની પાસેથી સમર્થન નહી લે.