બીજી બાજુ સંજય સિંહે કહ્યુ કે હું આસિફ મોહમ્મદને મળવા ગયો હતો, પણ ક્યારેય પણ પૈસાની લેવડ-દેવડની વાતચીત નથી થઈ. જો પૈસાની લેવડ-દેવડની વાત સાબિત થાય છે તો હુ રાજનીતિક જીવનમાંથી સંન્યાસ લઈ લઈશ. સંજય સિંહે ઉપરથી આસિફ પર જ આરોપ લગાવ્યો કે તેઓ સરકાર બનાવવા માટે આતુર હતા. આ પ્રક્રિયામાં તેમણે નિતિન ગડકરી, રામવીર વિઘુડી જેવા બીજેપીના મોટા નેતાઓને મળવાની વાત કરી.