રવિવારે એક ટીવી ચેનલની સાથે વાત કરતા જ્યારે મીડિયાએ રામદેવને પુછ્યુ કે પીએમ મોદીએ કાળાનાણા આવતા લોકોના ખાતામાં 15-15 લાખ રૂપિયા જમા કરાવવાનુ કહ્યુ હતુ. હવે આ પૈસો જનતાના ખાતામાં ક્યારે આવશે. જેના જવાબમાં રામદેવે કહ્યુ કે 2015થી લોકોના ખાતામાં પૈસા આવવા શરૂ થઈ જશે. આ સાથે જ રામદેવે મોદીના એ નિવેદનને પણ રદ્દ કરી દીધુ જેમા તેમણે કહ્યુ હતુ કે કોઈને પણ નથી ખબર કે કેટલા કાળાનાણા છે. તેમણે કહ્યુ કે પીએમ મોદીને બધુ ખબર છે કે કેટલા કાળાનાણા છે.