વિવાદિત નિવેદનો માટે ચર્ચિત ઉપ્રના મંત્રી આઝમ ખાને હવે સંઘ નેતાઓને સમલૈંગિક બતાવી દીધા. તેમના આ નિવેદનની સંઘ અને ભાજપા નેતાઓએ ખૂબ નિંદા કરી છે. ખાને તેમના ગૃહ નગર રામપુરમા રવિવારે સમલૈગિકોના અધિકારો વિશે સવાલ કર્યો હતો. તેના પર તેમણે કહી દીધુ કે આરએસએસવાળા એવા જ છે જેથી તેઓ આની માંગ કરી રહ્યા છે અને લગ્ન કરતા નથી.
વિજયવર્ગીય બોલ્યા માનસિક સંતુલન ખોઈ બેસ્યા છે ખાન
ભાજપા મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ કહ્યુ એક ખાન માનસિક સંતુલન ગુમાવી ચુક્યા છે. હવે સમય આવી ગયો છે કે જ્યારે તેમને યોગ્ય સ્થાન(માનસિક ચિકિત્સાલય) મોકલી દેવામાં આવે.