આશુતોષના આવુ કહેતા મેઘાએ કહ્યુ કે તે કોઈને દોષ આપવા નથી માંગતી. તેણે કહ્યુ કે મારા પિતા તો આ દુનિયામાંથી જઈ ચુક્યા છે. તેઓ હવે પાછા નહી આવે તો હુ કોઈને પણ જવાબદાર ઠેરવીને શુ કરીશ. આશુતોષે કહ્યુ કે મેઘા તુ મારી પુત્રી છે. હું તારો ગુનેગાર છુ. હુ તેમને બચાવી ન શક્યો. જેના પર મેઘાએ કહ્યુ કે હુ કહેવા માંગુ છુ કે આ મુદ્દે બધી પાર્ટીઓ રાજનીતિ ન કરે.
આશુતોષે રડતા રડતા કહ્યુ કે રાજનીતિથી કશુ મળવાનુ નથી. તમે લોકો રાજનીતિ બદલો. તેમણે ભાજપા પર આરોપ લગાવતા કહ્યુ કે તે મનીષ સિસોદિયા, કુમાર વિશ્વાસ પર દોષ મઢી રહ્યા છે. તે લોકો તેની મોત પર રાજનીતિ કરી રહ્યા છે. અમે લોકો આ પ્રકારની ગંદી રાજનીતિ કરવા નથી આવ્યા.