બિહારમાં લોકોને મોદીનું 'ગુજરાત મોડલ' બતાવીશુ - આપ

શનિવાર, 25 જુલાઈ 2015 (12:19 IST)
પીએમ નરેન્દ્ર મોદી અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સરકાર વચ્ચે રાજકારણીય જંગ હવે બિહાર સુધી પહોંચશે. આમ આદમી પાર્ટીએ એલાન કર્યુ છે કે તે બિહાર ચૂંટણીમાં મોદીના ગુજરાત મોડલની હકીકત બતાવશે. આપ નેતા આશુતોષે એક ચેનલને આપેલ ઈંટરવ્યુ દરમિયાન આ વાત કરી. 
 
જો કે આપ એ બિહાર ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે.  પણ પાર્ટીના કાર્યકર્તા અને નેતા બિહાર જઈને મોદીનો મોરચો સાચવશે. આપ નેતા આશુતોષે કહ્યુ કે પાર્ટીના લોકો બિહાર જઈને મોદીના સત્ય વિશે લોકોને બતાવશે. આપ નેતા બતાવશે કે કેવી રીતે દિલ્હીમાં ગુજરાત મોડલ લાગૂ કરવામાં આવી રહ્યુ છે. 

વેબદુનિયા પર વાંચો