આમ આદમી પાર્ટી(આપ)ની તાજેતરમાં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મોટી જીત પછી સરકાર બનાવી હતી. પણ એ જ પાર્ટીએ પોતાના બે મહત્વપુર્ણ નેતાઓ યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણને શનિવારે રાષ્ટ્રીય કાર્યકારિણીમાંથી કાઢી નાખ્યા. પાર્ટીએ યોગેન્દ્રના સમર્થકો આનંદ કુમાર અને અજીત ઝા ને પણ 21 સભ્યોની રાષ્ટ્રીય કાર્યકારિણીમાંથી હટાવી દીધા છે.
યોગેન્દ્ર એ બેઠકમાંથી બહાર આવ્યા પછી કહ્યુ, "રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં લોકતંત્રની હત્યા થઈ છે. બીજી બાજુ પ્રશાંતે કહ્યુ કે જે લોકો કેજરીવાલ સાથે સહમત નહોતા તેમને મારવામાં આવ્યા અને બેઠકમાંથી બહાર કાઢવામાં આવ્યા.
આપના અનેક કાર્યકર્તા પણ બેઠક સ્થળની બહાર હાજર હતા. જેમના હાથમાં યોગેન્દ્ર અને પ્રશાંતના વિરોધમાં લખેલ તખ્તિયો હતી અને તેમનુ કહેવુ હતુ કે તેઓ પાર્ટીના હિતમાં ત્યા આવ્યા છે. એક તખ્તી પર લખ્યુ હતુ, 'એકજૂટ રહો' અને બીજા પર લખ્યુ હતુ 'અરવિંદ કેજરીવાલ અમે તમારી સાથે છીએ'.