ઓક્ટોબરમાં પણ પાકિસ્તાને આવુ કર્યુ હતુ
ઓક્ટોબરમાં પણ એલઓસીની પાસે માછિલમાં આતંકવાદીઓએ સેનાના જવાન પર ફાયરિંગ કર્યુ હતુ. હુમલામાં સેનાના જવાન શહીદ થઈ ગયા હતા. આતંકવાદીઓએ શહીદ જવાનના શબ સાથે બર્બરતા કરી અને તેને ક્ષત-વિક્ષત કરી દીધુ હતુ. આ કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાના બોર્ડર એક્શન ટીમનો હાથ માનવામાં આવી રહ્યો હતો. ભારતીય સેનાએ પાકિસ્તાનની આ બર્બરતાનો બદલો લેવાની વાત કરી હતી. સેનાએ પીએમ મોદી અને રક્ષામંત્રીને હુમલાની માહિતી આપી હતી.