મોદી સરકારે 31 ઓક્ટોબર 1984ના રોજ સિખ અંગરક્ષકો દ્વારા પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીની હત્યા પછી દેશભરમા ફેલાયેલા સિખ વિરોધી રમખાણોની 30મી બરસીથી ઠીક એક દિવસ પહેલા આ મોટા નિર્ણયનુ એલાન કર્યુ છે. દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની શક્યતાને ધ્યાનમાં રાખતા કેન્દ્રની બીજેપી સરકારે આ નિર્ણયનો રાજકારણીય મતલબ કાઢવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે એક સિખ વિરોધી રમખાણો સૌથી વધુ પીડિત દિલ્હીમાં જ છે. દિલ્હીમાં સિખ વિરોધી રમખાણોમાં 2.733 લોકો માર્યા ગયા હતા. આ પ્રક્રિયામાં 3163 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ થયેલ લોકોમાં ફક્ત 442ને અપરાધ માટે દોષી સાબિત કરાયા હતા. સિખ વિરોધી રમખાણોને લઈને કોંગ્રેસ હંમેશા જ સિખ સમુદાયના નિશાને પર રહી છે. પુર્વ પ્રધાનમંત્રી મનમોહન સિ6હે પણ આ રમખાણો માટે માફી માંગી હતી.