2001-2011ના દરમિયાન કરાવવામાં આવેલ વસ્તીગણતરીમાં જાણ થઈ છે કે 10 વર્ષમાં મુસ્લિમોની જનસંખ્યા 24 ટકા વધી ગઈ છે. તાજા રજુ થયેલા આંકડા મુજબ દેશની કુલ જનસંખ્યામાં 14.2 ટકા લોકો મુસ્લિમ છે. જ્યારે કે 2001માં કુલ જનસંખ્યાના 13.4 ટકા હતી. આ સમાચાર અંગ્રેજી છાપુ ધ ટાઈમ્સ ઓફ ઈંડિયા એ આપી છે. ટૂંક સમયમાં જ જનસંખ્યાના ધાર્મિક આંકડા રજુ થશે. ઉલ્લેખનીય છે કે ધર્મના આધાર પર જ કોઈ વસ્તીગણતરીના આંકડા ટૂંક સમયમાં જ સાર્વજનિક થવાના છે. આંકડા 2011 સુધીના છે અને યુપીએ સરકારના સમયમાં એકત્ર કરવામાં આવ્યા હતા. પણ તેને હજુ સુધી સાર્વજનિક નથી કરાવવામાં આવ્યા.