એનસીપી નેતા નવાબ મલિકે કહ્યુ છે કે એક એપ્રિલના રોજ 'મોદી દિવસ' ના રૂપમાં મનાવાશે. ફેસબુક પર કરવામાં આવેલ એક પોસ્ટમાં તેમને લખ્યુ છે, 'Breaking news - ભારત સરકારનો નિર્ણય, 1 Aprilને 'મોદી દિવસ'ના રૂપમાં મનાવાશે.
બીજી બાજુ વ્હાટ્સએપ પર એવા કેરીકેચર પણ શેર કરવામાં આવી રહ્યા છે જેના પર એક એપ્રિલને મોદી દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે સોશિયલ મીડિયાએ એક એપ્રિલને કેજરીવલ દિવસ, પપ્પુ દિવસ અને ફેંકુ દિવસના રૂપમાં ઉજવ્યો હતો.