નસબંધી પછી અત્યાર સુધી 13 મહિલાઓના મોત
આ દરમિયાન આરોપી ડોક્ટર આર.કે ગુપ્તાની ધરપકડ કરી લેવામાં આવી છે. નેમીચંદ જૈન હોસ્પિટલના ડોક્ટર ગુપ્તાને બલૌદા બજારથી ધરપકડ કરવામાં આવ્યા. ડોક્ટર વિરુદ્ધ બિનઈરાદા હત્યાના કેસ નોંધાયો છે. ડોક્ટર ગુપ્તાએ બિલાસપુરના સરકારી કૈપમાં 83 મહિલાઓની નસબંધી કરી હતી.
ઉલ્લેખનીય છે કે 9 નવેમ્બરના રોજ નેમીચંદ હોસ્પિટલમાં 83 મહિલાઓનુ ઓપરેશન કરવામાં આવ્યુ હતુ. ઓપરેશન પછી તેમને દવાઓ આપીને રજા આપવામાં આવી. ઘરે પહોંચતા જ સ્ત્રીઓને ઉલટીઓ થવા માંડી. એવુ કહેવાય રહ્યુ છે કે એનિસ્થીસિયા આપવા માટે ઓપરેશન દરમિયાન વિશેષજ્ઞ હાજર નહોતા. એટલુ જ નહી સ્ટરલાઈઝ કર્યા પછી ઓપરેશન માટે થોડો સમયનો ગૈપ આપવાનો હોય છે. જ્યારે કે આવુ નહોતુ કરાયુ જેને કારણે ઈંફેક્શન ફેલાયુ.