ગાંધી જયંતીના દિવસે શરૂ થવા જઈ રહેલ સ્વચ્છ ભારત અભિયાનમાં જે શપથ લેવડાવામાં આવશે તે આ પ્રકાર છે. મહાત્મા ગાંધીએ જે ભારતનું સપનું જોયું હતું તેમાં માત્ર રાજકીય આઝાદી ન હતી. પરંતુ એક સ્વચ્છ અને વિકસિત દેશની કલ્પના હતી. મહાત્મા ગાંધીએ ગુલામીની સાંકળ તોડીને ભારત માતાને આઝાદ કરાવી હવે આપણું કર્તવ્ય છે કે ગંદકીને દૂર કરીને ભારત માતાની સેવા કરીએ.