2011ની જનગણનાના મુજબ અગાઉ (2001)ની તુલનામાં હિન્દુઓની સંખ્યા 0.7 ટકા ઓછી થઈ છે. જ્યારે કે મુસ્લિમોની સંખ્યા 0.8 ટકા વધી છે. મોદી સરકાર તરફથી રજુ એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. રજિસ્ટાર જનરલ એંડ સેંસસ કમિશ્નર તરફથી મંગળવારે ધાર્મિક આધાર પર કરાવવામાં આવેલ જનગણનાના પરિણામ રજુ કરવામાં આવ્યા. પોપોલેશન બાય રીલિજિયસ કમ્યુનિટીજ ઓફ સેંસસ 2011 નામથી રજુ રિપોર્ટમાં સિખોની વસ્તી પણ કુલ જનસંખ્યાની તુલનામાં 0.2 ટકા ઓછી થઈ છે. ઈસાઈ અને જૈન ધર્મ માનનારા લોકોની વસ્તી 2001 થી 2011 દરમિયાન લગભગ બરાબર જ રહી છે.
આંકડા રજુ કરવા પર પ્રશ્ન પણ
અનેક લોકોનુ માનવુ છેકે મોદી સરકારે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ધર્મ આધારિત વસ્તીગણતરીના આંકડા રજુ કરી ઈલેક્શન કાર્ડ રમ્યુ છે. તેમનુ માનવુ છે કે બિહારમાં ઓક્ટોબર-નવેમ્બરમાં ચૂંટણી થશે અને રાજ્યની 243 સીટોમાંથી 50 પર આની અસર પડી શકે છે.