હિઝબુલનાં પાંચ આતંકવાદીઓ ઠાર

ભાષા

સોમવાર, 27 ઑક્ટોબર 2008 (15:32 IST)
જમ્મુ કાશ્મીરનાં કિશ્તવાડ જિલ્લામાં સોમવારે હિઝબુલ મુઝાહીદ્દીનનાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતાં.

સેનાનાં એક વરિષ્ઠ અધિકારીઓનાં જણાવ્યા મુજબ વહેલી સવારે નવાપાચી વિસ્તારમાં શોધ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

આતંકવાદીઓને ઘેરી લેવામાં આવતાં તેની પર ગોળીઓ ચલાવવામાં આવી હતી. આ અથડામણમાં પાંચ આતંકવાદીઓનાં મોત થયા હતાં.

ઘટનાસ્થળ પરથી મોટી સંખ્યામાં દારૂગોળો અને હથિયાર જપ્ત કરવામાં આવ્યા હતાં.

વેબદુનિયા પર વાંચો