વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહ્તવકાંક્ષી યોજના જન ધનનો જોરશોરથી પ્રચાર કરવામાં આવે છે. વડાપ્રધાન જ્યાં પણ જાય ત્યાં ભાષણમાં આ યોજનાન ઓ ઉલ્લેખ કરવાનું ચૂકતા નથી જોકે , આ યોજનમાં મોટાપાયે ગડબડો થવાની શકયતા રહેલી છે. આ દાવો અન્ય કોઈએ નહી પરંતુ ખુદ રીઝર્વ બે6ક ઓફ ઈંડિયા દ્વારા કરાયો છે. રીઝર્વ બેંકે આશંકા વ્યકત કરી છે કે જન , ધન યોજના દ્વારા ખોલવામાં આવેલા ખાતાઓમાં ગ્રાહકો સાથે છેતરપિંડી થવાની વિશેષ શકયતા રહેલી છે. આરબીઆઈએ બેંકોને આ અંગેની ગતિવિધિઓ અંગે સતર્ક રહેવા પણ સૂચના આપી છે. આરબીઆઈના ડેપ્યુઉટી ગવર્નર એસએસ મુંદડાએ જણાવ્યું કે બેંકો પાસે જન ધન યોજનાથી ખોલાયેલા ખાતાઓને નિરીક્ષણ માટે યોગ્ય પ્રણાલી ઉપલબ્ધ નથી.