સુખબીર બાદલે રાહુલ ગાંધીને 'એલિયન' કહ્યા

ગુરુવાર, 8 ઑગસ્ટ 2013 (12:04 IST)
P.R
પંજાબના ઉપમુખ્યમંત્રી સુખવીર સિંહ બાદલે બુધવારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને એક એલિયન (બીજા ગ્રહોના વાસી) કહ્યા. જેમને ગાંમડાઓની વાસ્તવિકતાની જાણ નથી. રાહુલ ગાંધીનું નિવેદન "ગરીબી દિમાગી ઉપજ છે" ની આલોચના કરતા સુખવીર બાદલે કહ્યુ કે આ આશ્ચર્યની વાત છે કે ક્યારેય પંચાયતની ચૂંટણી પણ નહી લડનારા નેતા દેશને ચલાવી રહ્યા છે. વાસ્તવિકતાની માહિતી વગર તેઓ દિલ્હીના એરકંડીશનિંગ ઓફિસમાં બેસીને નીતિયો બનાવી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો