નવી દિલ્હી (ભાષા) સમાજવાદી પાર્ટીનો મંગળવારે થઈ રહેલ કાર્યક્રમ જંતર મંતરમાં ભાગ લેવા માટે આવેલ 25 વર્ષના એક યુવકે પોતાને આગ લગાવીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેને ગંભીર સ્થિતિમાં હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે રણવિજય સિંહ ઉત્તર પ્રદેશના સુલ્તાનપુરના નિવાસી છે અને તે સમાજવાદી પાર્ટીના વિદ્યાર્થી યુનિટના કાર્યકર્તા છે. જંતર મંતરમાં વિરોધ પ્રદર્શન દરમિયાન તેમણે 12.50 વાગ્યે બપોરે પોતાના શરીર પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દિધી હતી.
તેને ગંભીર રીતે બળી ગયેલી હાલતમાં રામ મનોહર લોહિયા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેણે પોલીસને આપેલા પોતાની જુબાનીમાં જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં માયાવતી આગેવાનીવાળી બસપા સરકારના રાજમાં લોકતંત્રની હત્યા થઈ રહી છે અને સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓને હેરાન કરવામાં આવી રહ્યાં છે. તેની પાસેથી મળેલા પત્રમાં લખ્યું હતું કે લોકતંત્રની હત્યાને સહન કરવામાં નહિ આવે.