ભાજપની કમાન સંભાળ્યાં બાદ પોતાની પ્રથમ જાહેરાતમાં નિતીન ગડકરીએ રવિવારે કહ્યું કે, તે આગામી ત્રણ વર્ષોના અધ્યક્ષીય કાર્યકાળમાં સંસદીય ચૂંટણી નહીં લડે અને પૂરુ ધ્યાન પાર્ટી મજબૂત બનાવામાં લગાડશે.
તેમણે કહ્યું કે, તે જૂની રાષ્ટ્રીય કાર્યકારિણી બનાવીને રાખશે. ગડકરીએ કહ્યું મે અગાઉથી સ્પષ્ટ કરી દીધું છે કે, મારો એજન્ડા વિકાસની રાજનીતિ પર આધારિત હશે.