વી. પી. સિંહનાં સ્વાસ્થ્યમાં સુધાર

મંગળવાર, 10 જૂન 2008 (08:09 IST)
ભૂતપૂર્વ વડાપ્રધાન વિશ્વનાથ પ્રતાપ સિંહની સ્થિતિમાં ગઈકાલે ઘણો સુધારો થયા બાદ તેમણે આઈસીયુમાંથી બહાર સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતાં.

હોસ્પિટલ સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે પૂર્વ વડાપ્રધાન કિડનીની બીમારીથી પીડિત છે. તેમને કેટલાક દિવસ પહેલા બોમ્બે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

તેમણે જણાવ્યું હતું કે, આ મહિનાની છ તારીખે વી. પી. સિંહને કિડનીની તકલીફનાં કારણે હોસ્પિટલનાં આઈસીયુ વોર્ડમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં.

વેબદુનિયા પર વાંચો