છેલ્લા ત્રણ દિવસથી વડોદરામાં વણસી રહેલી પરિસ્થિતિ ધ્યાનમાં લઈને આજરોજ શગેરના મોટા ભાગના ઈંટરનેટ સર્વિસ પ્રોવાઈડર દ્વ્રારા સેવા બંધ કરી દેવામાં આવી છે. ઈંટરનેટના માધ્યમ દ્વ્રારા ફેલાતી ખોટી અફવા રોકવા આવું પગલું ભરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. વડોદરામાં શરૂ થયેલા કોમી તોફાનોના મૂળમાં ઈંટરનેટ દ્વ્રારા ફેલાવવામાં આવેલી અફવા જવાબદાર હતી. ગુરૂવારે વડોદરામાં થયેલા તોફાનોમાં ટોળાએ આતંક મચવાતા હોય તેમ 15 જેટલા વાહનોનો આગ ચાંપી દીધી હતી.