લોકો મોદીને સાભળવા નહી પણ સમર્થન આપવા રેલીઓમાં જાય છે

મંગળવાર, 1 એપ્રિલ 2014 (16:01 IST)
P.R
ભાજપના નેતા ઉમા ભારતીએ ઝાંસીમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે મોદી સારા વક્તા નથી. લોકો તેમને સાંભળવાની જગ્યાએ સમર્થન આપવા માટે રેલીઓમાં જાય છે.

રેલીમાં તેમણે પૂછ્યું કે મોદીને ભાષણ આપતાં સાભળ્યાં છે ? અટલ બિહારી વાજપાઈ આપણી પાર્ટીના શ્રેષ્ઠ વક્તા છે. ભારતીય રાજનીતિમાં તેમના ભાષણ આપવાની રીતનો કોઈ મુકાબલો કરી ન શકે. આ બેઠક પરથી લોકસભા ચૂટણી માટે તેમને ઉમેદવાર બનાવ્યાં છે.

તેમણે કહ્યું કે તમે ઉંડાણપૂર્વક અંદાજ લગાવશો તો મોદી સારા વક્તા નથી. પરંતુ તેમણે સાભળવાં માટે લોકો તેમની રેલીઓમાં જાય છે. શું તમે જાણો છો કેમ ?. લોકો મોદીની રેલીઓમાં તેમને સાભળવાંની જગ્યાએ સમર્થન આપવા માટે જાય છે.

વેબદુનિયા પર વાંચો