લોકોને નરેન્દ્ર મોદી પર વિશ્વાસ છે - અમિત શાહ

શુક્રવાર, 8 મે 2015 (10:58 IST)
બીજેપી અધ્યક્ષ અમિત શાહે કહ્યુ કે અનેક સમસ્યાઓનો સામનો કરી રહેલ દેશવાસી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીમાં આશાની કિરણ જુએ છે. શાહે પોતાના વિધાનસભા ક્ષેત્ર નારણપુરામાં જનસંપર્ક બેઠકમાં કહ્યુ કે ભારત અનેક સમસ્યાઓનો સામનો કરી  રહ્યા છે. 
 
ભાજપા અધ્યક્ષે કહ્યુ કે આપણે ભાગ્યવાન છીએ કે આપણે ગુજરાતમાં રહીએ છીએ.  નહિતો ભારત અનેક સમસ્યાઓથી ઘેરાયેલુ છે. લોકો પોતાની સમસ્યાઓના ઉકેલ માટે આતુરતાથે રાહ જોઈ રહ્યા છે. મને એવુ કહેવામાં કોઈ આનાકાની નથી કે દરેક ભારતીયને આપણા પ્રધાનમંત્રી પર પુર્ણ વિશ્વાસ છે કે તે તેમની મુશ્કેલીઓ દૂર કરશે. શાહે કહ્ય કે હુ અહી તેમના સફળ કામો ગણાવવા નથી આવ્યો પણ મે જોયુ છે કે લોકો હવે સકારાત્મક વિચારવા માંડ્યા છે કે સમય બદલાય રહ્યો છે. 

વેબદુનિયા પર વાંચો