રાજ ઠાકરે 21મીએ કરશે શ્રીગણેશ !

વેબ દુનિયા

ગુરુવાર, 19 માર્ચ 2009 (09:13 IST)
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ લોકસભાની ચૂંટણી માટે સજ્જ થયા છે અને ચૂંટણી પ્રચાર કરવાની શરૂઆત કરવા માટે તૈયારી કરી લીધી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ રાજ ઠાકરે 21મી માર્ચના દિવસે સાંજે છ વાગે અનંતકનહારે મેદાન ખાતેથી પ્રચારનું રણશગુ ફૂંકશે.

પત્રકારો સાથે વાતચીત કરતા પક્ષના રાજય એકમના જનરલ સેક્રેટરી વસંત ગીતે અને અતુલ ચંદરે જણાવ્યું છે કે, ઠાકરેની ચૂંટણી રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહેશે.

વેબદુનિયા પર વાંચો