સાંસદો પર લાગેલા આરોપનો બચાવ કરતા ઉદ્ધવે કહ્યુ કે માણસના માથા પર લખ્યુ હોતુ નથી કે તે કઈ જાતિ અને ધર્મનો છે. સાંસદ માત્ર મહારાષ્ટ્ર સદનની ખરાબ વ્યવસ્થા પર કમિશનર બિપીન મલિક અને મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણનો વિરોધ કરી રહ્યા હતા. અમે દરેક ઘર્મનું સન્માન કરીએ છીએ. દરેકને પોતાનો ધર્મ દિલથી માનવની આઝાદી છે.