યોગ ગુરૂ બી.કે.એસ અયંગરનું પુણેમાં નિધન

બુધવાર, 20 ઑગસ્ટ 2014 (09:56 IST)
અયંગર યોગાના સંસ્થાપક યોગ ગુરૂ બી.કે.એસ અયંગરનું બુધવારે સવારે પુણેમાં નિધન થયુ. તેઓ 96 વર્ષના હતા. 
 
અયંગર ગત મંગળવારની શ્વાસની તકલીફને કારણે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જણાવાય રહ્યુ છે કે રવિવારે કિડની ફેલ થતા તેમને ડાયાલિસિસ પર રાખવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત બી.કે.એસ અયંગરને 1991માં પદ્મશ્રી, 2002માં પદ્મભૂષણ અને 2014માં પદ્મવિભૂષણથી સન્માન મળેલા છે. તેમને યોગ પર પુસ્તકો લખેલા છે. 

વેબદુનિયા પર વાંચો