યેદિયુરપ્પાની વિદાય પર અંતિમ મોહર લાગશે

ગુરુવાર, 28 જુલાઈ 2011 (11:06 IST)
PTI
ભાજપા ટોચના નેતૃત્વની તાત્કાલીન બેઠક ગુરૂવારે સવારે સાડા નવ વાગ્યે થવાની શક્યતા છે, જેમા કર્ણાટકના મુખ્યમંત્રીને પદ છોડવાનુ ફરમાન આપી શકાય છે.

મોડી રાત્રે ચાલેલી ગંભીર ચર્ચા પછી એવુ માનવામાં આવી શકાય છે કે ભારતીય જનતા પાર્ટી(ભાજપા)ના કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાને હટાવવાનો નિર્ણય કરી લેવામાં આવ્યો છે.

જો કે તેમની ઔપચારિક જાહેરાત થઈ નથી. આ દરમિયાન ગુરૂવારે સવારે સાઢા નવ વાગ્યેથી નવી દિલ્લીમાં ભાજપા અધ્યક્ષ નિતિન ગડકરીના રહેઠાણ પર પાર્ટીના ટોચના નેતાઓની બેઠક થવાના સમાચાર છે. આ બેઠકમાં યેદિયુરપ્પાની અંતિમ વિદાયનો ઔપચારિક નિર્ણય લેવામાં આવશે અને યેદિયુરપ્પાને તેની માહિતી આપવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો