હિંસા દરમિયાન ગોળીબારી, તોડફોડ અને આગ ચાંપવાની ઘટનાઓ થઈ છે. હિંસાને જોતા વધુ પોલીસદળ સહારનપુર મોકલવામાં આવી રહ્યા છે. મેરઠના પોલીસ મહાનિરીક્ષકને તત્કાલ સહારંપુર પહોંચવાનો આદેશ આપવામાં આવ્યો છે. પોલીસના મુજબ એક જમીનના વિવાદને લઈને બે જૂથ સામેસામે આવી ગયા અને જોતજોતામાં જ તેમા પત્થરમારો શરૂ થઈ ગયો. ગોળીબારી થઈ અને કેટલાક સ્થાન પર આગ પણ લગાડવામાં આવી.