મૌલાના શૌકતના ઘર પર હુમલો

વાર્તા

બુધવાર, 24 સપ્ટેમ્બર 2008 (12:20 IST)
જમ્મૂ કશ્મીરમાં શ્રીનગર શહેરના બહારના વિસ્તારમાં સ્થિત જમાત-ઉલ-અહલીહદીસના અધ્યક્ષ મૌલાના શૌકતના ઘર પર ગઈ કાલે મંગળવારે સાંજે કેટલાક અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો.

અધિકારીક સૂત્રોએ જાણકારી આપી કે, અજાણ્યા હુમલાખોરોએ તેમના ઘર પર હાથગોળા ફેંક્યા હતા જે ધારેલા નિશાને લાગ્યા ન હતા. જે સમયે આ હુમલા કરવામાં આવ્યા તે સમયે સમન્વય સમિતિના સભ્ય મૌલાના શૌકત ઘર પર હાજર ન હતા.

વેબદુનિયા પર વાંચો