કાશ્મીરના સ્વતંત્રતાવાદી નેતાઓ સાથે પાકિસ્તાની હાઈ કમિશ્નરની મુલાકાતથી નારાજ ભારતે ભલે સચિવ સ્તરની વાતચીત રદ્દ કરી દીધી હોય. પણ પાકિસ્તાન અને અલગતાવાદીઓનુ વલણ બદલાતુ જોવા નથી મળી રહ્યુ. મોદી સરકારે ચુસ્ત વલણ અપનાવ્યા છતા કાશ્મીરના અલગતાવાદી નેતા મંગળવારે પાકિસ્તાની ઉચ્ચાયુક્ત અબ્દુલ બાસિત સાથે મુલાકાતની પ્રક્રિયા ચાલુ રાખવા પર અડી રહ્યા છે. કાશ્મીરના સ્વતંત્રવાદી નેતા મીરવાઈઝ ઉમર ફારૂખ અને સૈયદ અલી શાહ ગિલાની મંગળવારે અબ્દુલ બાસિત સાથે મુલાકાત કરશે. ગિલાનીની અબ્દુલ બાસિત સાથે બપોરે 3 વાગ્યે મુલાકાત થવાની છે. ગિલાની નવી દિલ્હી માટે શ્રીનગરથી રવાના પણ થઈ ચુક્યા છે. પાકિસ્તાની હાઈ કમિશ્નર સાથે મુલાકત પર અડેલા ગિલાનીએ કહ્યુ સચિવ સ્તરની વાતચીત રદ્દ થવા છતા અમે નવી દિલ્હી જઈશુ અને પાકિસ્તાની હાઈ કમિશ્નરને મળીશુ. ગિલાનીએ એ પણ કહ્યુ કે ભારત કાશ્મીર મુદ્દે શાંતિપૂર્ણ ઉકેલ ઈચ્છતુ નથી.