પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીનો અપશબ્દ બોલવાનો મામલો હજુ શાંત પણ થયો નથી કે તૃણમૂળ કોંગ્રેસના એક વધુ નેતાએ વિવાદિત નિવેદન લઈને રાજકારણીય વાતાવરણ ગરમાવી દીધુ છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યુ કે નરેન્દ્ર મોદી જેવા વાહિયાત પ્રધાનમંત્રી તેમણે આજ સુધી જોયા નથી.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જલપાઈગુડીમાં એક રેલી દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં બોલાનારા કહેવતનો ઉપયોગ એ કહેવા માટે કર્યો હતો કે તેઓ પોતે તો કશુ ન કરી શક્યા અને બીજાના પાછળ વાંસ આપવાની કોશિશ કરી રહ્યા છે. ( खुद तो कुछ नहीं कर सके और दूसरों के पिछवाड़े में बांस देने की कोशिश कर रहे हैं ) મમતાને પુછ્યુ હતુ કે શુ તેઓ આ વાતથી ખુશ નથી કે આજે દાર્જીલિંગ અને જંગલમહેલમાં શાંતિનુ રાજ છે ?