મોદી અને ભાજપાને અલગ કરીને ન જોઈ શકાય - રાજનાથ

મંગળવાર, 15 એપ્રિલ 2014 (09:47 IST)
ભાજપા અધ્યક્ષ રાજનાથ સિંહે પાર્ટીનાં વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીનાં નિવેદનનો બચાવ કરતા કહ્યુ કે નરેન્દ્ર મોદી અને ભાજપ એકબીજાનાં પૂરક છે. અને તેમને અલગ કરીને ન જોઇ શકાય.
 
રાજનાથ સિંહે કહ્યુ કે મોદી આજે દેશનાં સૌથી લોકપ્રિય નેતા છે અને જનતા તેમને વડાપ્રધાનનાં રૂપમાં જોઇ રહી છે. લખનૌનાં ભાજપ હેડક્વાટરમાં પત્રકારોનાં સવાલોનાં જવાબ આપતા રાજનાથ સિંહે કહ્યુ કે આ સંબંધમાં ડૉ.જોશીનાં નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યુ છે.
 
નોંધનીય છે કે ડૉ.જોશીએ કહ્યુ હતુ કે દેશમાં મોદી નહી પણ ભાજપાની લહેર છે.

વેબદુનિયા પર વાંચો