મુંબઈ. ખ્યાતનામ સામાજીક કાર્યકર્તા મેધા પાટકરની ફરિયાદને આધારે રાજ્ય માનવાધિકાર આયોગ દ્વારા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે વિરુદ્ધ સમન્સ જારી કરવામાં આવ્યુ છે. આ સમન્સમાં રાજને 30 એપ્રિલે આયોગ સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. મેધા પાટકરે મહારાષ્ટ્ર પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરી હતી કે, પોલીસ રાજ ઠાકરે સામે કાર્યવાહી નથી કરી રહી.