મમતા બેનર્જીની માકપાને સલાહ

ભાષા

શનિવાર, 6 જૂન 2009 (21:13 IST)
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદની સ્થિતિયોને ઘણી ખરાબ બતાવતા રેલમંત્રી મમતા બેનર્જીએ શનિવારે કહ્યુ કે માકપાએ નંદીગ્રામ અને સિંગુરની ઘટનાઓથી શીખ લેવી જોઈએ કે ગુમાવી બેઠલ આધારને આતંકથી પાછો મેળવી શકાય નહી.

તૃણમુલ કોંગ્રેસની પ્રમુખે અહી કહ્યુ કે લોકસભા ચૂંટણી બાદ રાજ્યમાં કાનૂન-વ્યવસ્થાની સ્થિતિ ઘણી ખરાબ થઈ છે. અમે અમારા કાર્યકર્તાઓને જણાવી દીધુ છે કે તેઓ વિજય જૂલૂસઅ ના નીકાળે અને તેમણે આ આદેશનું પાલન કર્યુ. પરંતુ માર્ક્સવાદીયોએ આતંક જારી રાખ્યુ જેમાં અમારા 22 કાર્યકર્તાઓ માર્યા ગયા.

તેમણે કહ્યુ કે માકપાનો વિચાર એવો છે કે આતંક દ્વારા તેઓ પોતાનો ગુમાવી બેસેલ આધાર પાછો મેળવશે ખરેખર ખોટી વાત છે.

વેબદુનિયા પર વાંચો