ભાગવતે કહ્યુ કે સવાલ ધર્મપરિવર્તનનો નથી પણ આ સેવાની આડમાં થાય છે. આવામાં સેવા દૂષિત થઈ જાય છે. પણ અહી ઉદ્દેશ્ય સંપુર્ણ રીતે ગરીબો અને નિ:સહાયોની સેવા કરવાનો છે. આરએસએસ પ્રમુખ મોહન ભાગવત ભરતપુરથી આઠ કિલોમીટર દૂર ગામ બજહેરામાં અપના ઘર સ્વયંસેવી સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલ મહિલા સદન અને શિશુ બાલગૃહના ઉદ્દઘાટન સમારંભમાં મુખ્ય અતિથિ હતા.