મગજના તાવથી ત્રણ બાળકોના મોત

ભાષા

સોમવાર, 31 માર્ચ 2008 (20:06 IST)
ગોરખપુર. પૂર્વી ઉત્તરપ્રદેશના ગોરખપુર પંથકમાં આજે મગજના તાવથી પિડાતા ત્રણ બાળકોના મૃત્યુ થયા હતા. ગોરખપુરના સ્વાસ્થય વિભાગના અધિકારીએ જણાવ્યુ હતુ કે, જાન્યુઆરી માસથી અત્યાર સુધી મગજના તાવના 85 દર્દીઓ સરકારી દવાખાનામાં દાખલ થયા હતા. જે પૈકીના 30 બાળકોનાં મોત થયા હતા.

વેબદુનિયા પર વાંચો