મગજનાં તાવથી 467નાં મોત

વાર્તા

શુક્રવાર, 28 નવેમ્બર 2008 (22:17 IST)
ઉત્તર પ્રદેશનાં ગોરખપુરમાં મગજનાં તાવને કારણે મૃત્યુ પામનાર બાળકોની સંખ્યા 467 પહોચી ગઈ છે.

ગોરખપુરની બાબા રાઘવદાસ મેડીકલ કોલેજમાં શુક્રવારે વધુ એક બાળકનું મોત થયું હતું. તેને કારણે મૃત્યુઆંક 467 પહોચી ગયો છે. જ્યારે મગજનાં તાવનાં 102 દર્દીઓની વિવિધ હોસ્પીટલોમાં ઈલાજ ચાલી રહ્યો છે.

આ હોસ્પીટલમાં મૃત્યુ પામનારાઓમાં બિહાર અને નેપાળનાં 41 લોકોનો સમાવેશ થાય છે.

વેબદુનિયા પર વાંચો