ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનનો ફાયદો ભાજપને - અન્ના

સોમવાર, 26 સપ્ટેમ્બર 2016 (15:04 IST)
ટીમ અન્નામાં ફૂટ ન પડી હોત તો આજે દેશનું અલગ જ ચિત્ર જોવા મળ્યું હોત, એમ સમાજસેવી અન્ના હજારેએ કહ્યું હતું. અન્નાના જીવન પર આધારિત ફિલ્મ 'અન્ના'ના ટ્રેલરની રજૂઆત સમયે તેમણે અનેક વિષયો પર દિલ ખોલીને વાતચીત કરી હતી.
 
   ટીમ અન્નામાં ફૂટ ન પડી હોત તો દેશમાં અનેક પરિવર્તન જોવાં મળ્યાં હોત. જનતાનો વિશ્વાસ અને સહયોગ ટીમ અન્ના સાથે જ હતાં. ટીમમાં ભાગલા પડતાં જનતાનો વિશ્વાસ તેમના પરથી ઊઠી ગયો હતો અને હવે ફરીથી ટીમ ઊભી કરવી શકય નથી. સત્તાનો નશો એક વાર ચડે પછી ઊતરતો નથી, એમ કહી અન્નાએ કિરણ બેદી અને વી. કે. સિંહને ટોણો માર્યો હતો.

વેબદુનિયા પર વાંચો