ભોપાલમાં લગ્નના સ્ટેજ પર દુલ્હનની હત્યા !!

શનિવાર, 10 મે 2014 (09:54 IST)
ભોપાલમાં એક લગ્ન સમારંભ દરમિયાન દુલ્હનને એક વ્યક્તિએ શુભેચ્છા આપવાને બહાને ગોળી મારી દીધી. સારવાર દરમિયાન દુલ્હન હોસ્પિટલમાં મૃત્યુ પામી. 

ગઈકાલે ભોપાલમાં એક લગ્ન સમારંભમાં દુલ્હનની તેના સગા પિતરાઈ ભાઈએ એવુ કહીને ગોળી મારીને હત્યા કરી કે તેણે મને દગો આપ્યો છે. 
 
ડો. જયશ્રી નામદેવ (29) પોતાના વર સાથે સ્ટેજ પર ઉભી હતી અને મહેમાનો તરફથી આશીર્વાદ અને શુભેચ્છા મેળવી રહી હતી. એ દરમિયાન તેનો કઝીન અનુરાગ એકદમ સ્ટેજ પર આવી પહોંચ્યો અને તેણે દુલ્હનને ગોળી મારી દીધી.  
 
તેણીને ગોળી ગળા પર વાગી અને હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવી.  અનુરાગે ખુદને મારવા માટે પણ બીજીવાર ફાયરિંગ કરવાનો પ્રયત્ન કર્યો પણ ત્યા હાજર મહેમાનોએ તેને રોકી લીધો. લગ્ન સમારંભ ભોપાલ શહેરના લાલાઘાટી એરિયામા હતો.  આજે મંડપ આ દુ:ખદ ઘટનાની સાક્ષી આપતો એવો જ ઉભો હતો.  જયશ્રી પીડિઍટ્રિશન હતી અને જેની સાથે લગ્ન થઈ રહ્યા હતા તે રોહિત નામદેવ સર્જન છે. 
 
આરોપીનુ નામ અનુરાગ સિંહ છે જેને ત્યા હાજર લોકોએ પકડી લીધી અને ખૂબ માર માર્યો. પછી ઘટના સ્થળ પર પોલીસ પહોંચી અને આરોપીની ધરપકડ કરી લીધી. મૃતકનુ નામ ડોક્ટર જયશ્રી નામદેવ છે. પોલીસનુ કહેવુ છે કે આ મામલો  એક તરફી પ્રેમનો છે.  આ ઘટનાથી યુવતીના પરિવારમાં શોક છવાયો છે. 
 
પોલીસે આરોપી પાસેથી એક દેશી પિસ્તોલ જપ્ત કરી જેના દ્વારા તેણે બે ફાયર કર્યા હતા. અનુરાગની ધરપકડ બાદ પોલીસે જણાવ્યુ કે એ યુવતીને પ્રેમ કરતો હતો. તેને મળતો હતો.  તેણે થોડા દિવસો પહેલા ફેસબુક પર કેટલીક એવી ટિપ્પણીઓ કરી જેનાથી લાગી રહ્યુ છે કે તે ડિપ્રેશનમાં હતો. 

વેબદુનિયા પર વાંચો