જાપાનના પ્રવાસ પર પહોંચેલ પીએમ મોદીએ ટોકિયોમાં વેપારીઓના સંમેલનમાં જાપાન અને ભારતના સંબંધોને મજબૂત બનાવવાની વાત કરી. પીએમે કહ્યુ કે ભારત અને જાપાનના સંબંધો ખૂબ જૂના છે. તેમણે કહ્યુ કે જાપાન પાસેથી તેમણે ઘણુ શીખ્યુ છે. મોદીએ કહ્યુ કે પહેલા તેઓ ગુજરાતના સીએમના રૂપમાં જાપાન આવ્યા હતા અને હવે ભારતના પીએમના રૂપમાં અહી આવ્યા છે.
પીએમ મોદીએ કહ્યુ કે દેશની બાગડોર સાચવવાની સાથે જ તેમણે જાપાનની કાર્યશૈલી પીએમઓમાં લાગૂ કરી. 100 દિવસની સરકારની ઉપલબ્ધિયોને ગણાવતા તેમણે કહ્યુ કે તેમની પ્રાથમિકતા ગુડ ગવર્નેસ છે. બંને દેશો વચ્ચે વેપારી સંબંધોને વધારવાનો ઉલ્લેખ કરતા પીએમે કહ્યુ કે એક ગુજરાતી હોવાના નાતે વ્યવસાય અને પૈસા તેમના લોહીમાં છે.
બંને દેશો વચ્ચે દરેક ક્ષેત્રમાં સહયોગની વકાલાત કરતા પીએમે કહ્યુ કે 21મી સદી એશિયાની સદી છે અને તેમનુ ભવિષ્ય ભારત અને જાપાન જ મળીને નક્કી કરશે. પીએમે ઉર્જા, પર્યાવરણ, રિસર્ચના ક્ષેત્રમાં જાપાન તરફથી સહયોગની અપીલ કરી. મોદીએ કહ્યુ કે વિસ્તારવાદ નહી વિકાસવાદની સાથે બંને દેશ આગળ વધશે.