અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના હવામાન ખાતાના નિષ્ણાંતોએ કરેલી ભારતમાં નબળા ચોમાસાની આગાહીની વિપરીત ભારતના નિષ્ણાંતોએ કહયુ છે કે આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે. અત્યાર સુધી એવી દહેશત હતી કે અલનીનોની અસર સ્વરૂપ દેશમાં દુષ્કાળના ઓળા ઉતરી આવશે પરંતુ આ નવી આગાહીએ ખેડુતોના હૈયે ટાઢક લાવી છે. અત્રે એ નોંધીનીય છે કે ભારતમાં કૃષિ અને અર્થતંત્ર ચોમાસા ઉપર આધારીત હોય છે.
અત્રે એ નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયા અને અમેરિકાના હવામાન શાસ્ત્રીઓ થોડા દિવસ પહેલા એવી આગાહી કરી હતી કે દક્ષિણ એશિયામાં અલનીનોની અસર સ્વરૂપ ચોમાસુ નબળુ રહેશે અને દુષ્કાળના સંજોગો ઉભા થશે પરંતુ ભારતીય હવામાન શાસ્ત્રીઓ કહે છે કે હજુ નક્કર આગાહી કરવાનું ઘણુ વહેલુ ગણી શકાય. તેઓ કહે છે કે ગભરાટ રાખવાની જરૂર નથી અને આ વખતે ચોમાસુ સામાન્ય રહેશે.